Wednesday, April 6, 2011

"30 દિવસમાં તંદુરસ્તી".


30 દિવસની શક્તિ માટે 30 આધ્યાત્મિક ગોળીઓ


દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.


1- ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

2- ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

3- તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

4- લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

5- પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

6- સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

7- થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

8- એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

9- ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

10- સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

11- પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

12- વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

13- ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

14- પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

15- સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

16- સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

17- અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

18- દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

19- શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

20- વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

21- વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

22- ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

23- મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

24- ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

25- અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

26- સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

27- હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

28- તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

29- ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

30- રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.