Monday, July 4, 2011

હું એટલું શીખ્યો છું…

હું એટલું શીખ્યો છું

 ….કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દેછે

...કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદાલાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર  કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં  હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂરકરવી જોઈએ.

…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવાબેચાર મિત્રો તો હોવા  જોઈએ કે જેમની સાથેટોળાટપ્પાં કરી શકાયઠઠ્ઠામશ્કરી કરીશકાય.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છેછેડો જેમ નજીક આવે તેમ તેમવધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું  નથી આપ્યું  ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ  જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોયછે.

…....કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય  છે જે પ્રેમ અને લાગણીઝંખે છે.

…..કે આપણા ગણવાથી કે  ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતીએટલે હકીકતનોસ્વીકાર કરતાં શીખવું 

….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું છે.

….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું  જોઈએ.

…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી.

…..કે જિંદગી અતિકઠિન છેપણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી  !

…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી  નથીઆપણે જો  ઝડપી લઈએ તો બીજુ કોઈક ઝડપી લેવા તૈયાર  હોય છે.

…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતીરહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !

….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં  રાખવા જોઈએકારણ કે કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને   પાછાગળવાનો વારો આવે તો તકલીફ પડે !

….કે સુંદર મજાનું સ્મિત  ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધછે.

….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડીમુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો  દાદા-દાદીને જિંદગીજીવવાનો ટેકો આપે છે.એમને જિંદગી સાથે બાંધે છે.

….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છેપણ સાચો આનંદ અનેવિકાસ ત્યાં સુધી પહોંચવામાં  હોય છે.

….. કે કોઈને શિખામણ ફક્ત બે  સંજોગોમાં આપવી જોઈએ : એકજો સામી વ્યક્તિએ માંગી હોય અને બીજુંજો એના જીવનમરણ નોસવાલ હોય.

….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકેછે.

….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટઆપે છેતમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છેતમારી વાતો (ઘણી વખત તો સાવફાલતુ વાતોપણ ધ્યાનથી તેમજ  રસથી સાંભળે છેતમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અનેએમના હૃદયનાદરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.

No comments: