Monday, September 26, 2011

બૂફેનો મારગ છે શૂરાનો – ધીરજ બ્રહ્મભટ્ટ


[હળવો રમૂજીલેખ : 'ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજ' પુસ્તકમાંથી સાભાર.]
બાળકોને ભણાવવા નહીં પરંતુ ભણતાં કરવાં એ શિક્ષણની રાષ્ટ્રીય નીતિ છે. એ જ પ્રમાણે મહેમાનોને ખવડાવવું નહીં કિંતુ ખાતા કરવા એ જ ઉદ્દેશ્ય બૂફે પદ્ધતિનો છે. મકરસક્રાંતિના શુભ પ્રસંગે ગાયોના ટોળા વચ્ચે પૂળા કે ઘાસ નાખી આપણે એક બાજુ ઊભા રહી જઈએ છીએ, એ જ રીતે સમારંભોમાં ટેબલ પર ખુલ્લો ખોરાક રાખી આગંતુકોને તેની પર આડેધડ છોડી દેવાની ક્રિયા એ આધુનિક બૂફે પ્રણાલિકા છે. અહીં પણ મોટા શીંગડાં વાળી ગાયોની માફક બળિયો જ મેદાન મારી જાય છે, બાકીના રાંક વદને ખોરાક પર હુમલો કરતા શૂરવીરોને નીરખ્યા કરે છે. કેટલીક વખત તો ભોજન કરવા કરતાં ભોજન માટે ઝુઝતા ભૂખ્યા જનોને જોવામાં વધુ આનંદ મળે છે.
બૂફે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિનું સંશોધન છે. યજમાન બૂફેના અર્વાચીન નામની આડાશ લઈ બધી કડાકૂટમાંથી બચી જાય છે. પંગતમાંથી ‘અહીં દાળ બાકી છે કે ભીંડો ભૂલાઈ ગયો છે.’ એવી ફરિયાદ સાંભળવી પડતી નથી. તાણ કરવાની મોંકાણમાંથી તો સદંતર બચી જવાય છે. બગાડ તો થાય છે જ પણ એથી વિશેષ બચાવ થાય છે. લશ્કરી જવાનની માફક આપણે હાથમાં ડિશ પકડી ઊભાં ઊભાં આહાર આરોગવા ટેવાયેલા નથી. પરિણામે ઉભડક જીવે જ લસ લસ કરી હાથમાં આવ્યું એ જમી લેવું પડે છે, અથવા તો પેટીસ સુધી પહોંચવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં ત્યાંની પડાપડી જોઈ માંકડા જેવું ચંચળ મન પણ આળસી જાય છે.
બૂફેનો પ્રથમ અનુભવ મેં જયપુરમાં લીધેલો. ઓલ ઈન્ડિયા ટીચર્સ ફેડરેશનનું અધિવેશન હતું. ત્યાંના ગવર્નરને શિક્ષકો પ્રત્યે એટલું માન કે અમને સામૂહિક ભોજન માટે નિમંત્ર્યાં. કદાચ એમના શિક્ષકે બાળ-ગવર્નરને અંગૂઠા નહીં પકડાવ્યા હોય ! અથવા તો ઊઠબેસ જેવી આકરી સજાનો સ્વાદ ચાખ્યો નહીં હોય ! ટ્યૂશન માટે દબાણ કરવાને બદલે નિયમિત તાસ લીધા હશે. કારણ ગમે તે હોય પણ ઉમળકો એવો આવ્યો કે મારે આંગણે ભારતભરના શિક્ષકો !…. અને ભોજન સમારંભ ગોઠવી દીધો. દેશના બે હજાર ઘડવૈયા માટે વિશાળ મેદાનમાં ટેબલો પર વિવિધ વાનગીઓ ગોઠવી હતી. જમવાનો આદેશ મળતાં જ અમારો નેવું ટકા જેટલો સમૂહ રીસેસનો બેલ પડ્યો હોય એમ ટેબલ તરફ ધસ્યો. પહેલાં ક્રોકરી માટે પડાપડી થઈ. ક્રોકરીનો કોઠો ભેદી શક્યા એમણે ટેબલ પર ધસારો કર્યો. ટેબલ પાસે ઊભેલા સ્વયંસેવકો ફરજ વીસરી અમારી લીલા જોવામાં તલ્લીન થઈ ગયા.
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ એ ન્યાયે હું પરસેવે રેબઝેબ થઈ ગયો. ફળસ્વરૂપ પાંચ પૂરી, બે-ત્રણ ફોડવાં બટેટાં ને દહીંવડામાંથી વડાં ઊપડી ગયા પછી વધેલું દહીં મેળવવા જેટલી સિદ્ધિ મને મળી ખરી ! પણ આ શું ? બાકીનાને પ્લેટમાં પ્રાપ્ત કરેલી વાનગીઓ અલગ અલગ વ્યવસ્થિત રહેતી હતી જ્યારે મારે બધું સેન્ટરમાં ભેગું થઈ જતું’તું. એક મિત્રને મુશ્કેલી જણાવી તો એ પહેલાં તો ખૂબ જ હસ્યા; પછી કહે, તમે બૂફે પ્લેટ નહીં પરંતુ ડોગો ઉઠાવી લાવ્યા છો. હાથમાંનો કૂંડા જેવો ડોગો જોઈ હું શરમાયો પણ ફરીથી એ ધસારામાં ધસવાની મારી હિંમત જ નહોતી. ‘કરતાં જાળ કરોળિયો’વાળી કવિતા સંભળાવી મિત્રએ મને પ્રોત્સાહિત કરવા કોશિશ કરી પણ હું એવો હતાશ થઈ ગયો હતો કે ભૂખ્યો રહ્યો પણ ટોળામાં ન ઘૂસ્યો. એક વાર એન.સી.સી. તાલીમમાં જવાનું થયું તો ત્યાં પણ બૂફે ભટકાયું. વિવિધ રાજ્યોમાંથી આવેલ તાલીમાર્થીઓ પ્રાંતીય ભાષામાં રોષ કાઢતા હતા, ખોરાક મેળવવા હવાતિયાં મારતા હતા ને કેટલાક હિંમતપૂર્વક પંદર-વીસ પૂરી ઉઠાવી લાવી અડધી પોતાના ગ્રૂપને ગૌરવપૂર્વક વહેંચતા હતા. થોડી વાર બસમાં ચઢતા મથતા પેસેન્જરો જેવા મરણિયાઓને મેં જોયા જ કર્યા. ભીડ ઘટી ત્યારે કેટલાંક વાસણોમાં વઘારેલા ભાત સલામત રહ્યા હતા. એક ચમચી ચાખતાં જ એ દાઢે લાગ્યા ને પૂરી પ્લેટ ભરી હું ભાત આરોગવા લાગ્યો. હજી બે ચમચી માંડ ખાધી હશે ત્યાં એક બ્રાહ્મણ મિત્ર વીજળી પડી હોય એમ ચમકીને બરાડ્યા, ‘તમે આ શું ખાવ છો ?’ આપણે તો ભોળાંભાવે રામૈયા એટલે કહ્યું : ‘વઘારેલા ભાત ખાઉં છું.’ હાથમાંથી પ્લેટ ઝૂંટવતાં એમણે છાંછિયું કર્યું, ‘આ ભાત નહીં, બિરીયાની છે. બોટી બોટી બધા વીણી ગયા છે ને તમે વધેલા ચોખા ખાવ છો.’ મેં વાનગીઓને બદલે બસ ઊબકા જ ખાધા.
બૂફેનું સામ્રાજ્ય આધુનિક યુગમાં દરેક સમારંભો પર છવાઈ ગયું છે. લગ્ન પ્રસંગે પણ બૂફેની જ બોલબાલા હોય છે. એક પ્રસંગે તો ચોપાસથી મંડપ બંધ કરી અંદર ટેબલ ગોઠવ્યાં હતાં. અંદર જવાનો દરવાજો પણ વાડામાં છીડું પડ્યું હોય એવો ! ધાર્મિક સ્થળોના દરવાજે જામે છે એવી જ ભીડ અહીં અન્નદેવનાં દર્શન કરવા જતી હતી. શ્રીમતીજી અને અમારા ચાર સહિત હું અંદર પ્રવેશવામાં સફળ થયો. ખૂલી ગયેલા બુશર્ટના બટન બંધ કરી કયા ટેબલ પર ગિરદી ઓછી છે એની તલાશમાં જ હતો ત્યાં તો લાઈટ ગઈ. પરિશ્રમ અને ગરમીનો બેવડો પરસેવો અમને વળી ગયો. અર્ધાંગિની તો વેવાઈને અધઅધમણની તોળી તોળીને રમકાવવા લાગ્યાં. મૂવાએ હાથે કરીને જ સ્વીચ બંધ કરી લાગે છે, લોકો કંટાળીને ચાલ્યા જાય. બીજાં એક બહેન અનુમોદન આપતાં બળાપો કાઢવા લાગ્યાં, ‘આમાં ખાવાનું લેવા કોણ જાય ? છોકરાને કોણ સાચવે ? ને તરસ લાગી હોય તો પાણી કોણ લાવી આપે ? પાટલા પાથરી આગ્રહ કરવાનું તો ક્યાંય ગયું પણ ભિખારીની જેમ થાળીઓ લઈ ફરીએ છીએ તોય કોઈ ભાવ નથી પૂછતું.’ ભારે શરીરધારી એક ભાઈ બે દાંત વચ્ચેથી હવા કાઢી હળવી વ્હીસલ વગાડતાં બોલ્યા : ‘હવે તો જાન કરતાં કાણમાં પણ વધુ શાંતિ હોય છે.’
બૂફેનું સૌથી વરવું સ્વરૂપ એક યુવા અધિવેશનમાં જોવા મળેલું. દરેક સભ્યોને ખાસ સૂચના હતી કે બીજા પાંચ-પાંચ સભ્યો પકડી લાવવાના છે. યુવાનો અમને મતદાન મથકે લઈ જતા હોય એટલા ઉત્સાહથી અધિવેશનના સ્થળે ખેંચી ગયા. ‘ભાષણ સે રાશન નહીં મીલતા’ એ ઉક્તિ અહીં ખોટી ઠરતી હતી. અમને ભાષણ સાંભળવાના બદલામાં જ ભોજન મળવાનું હતું. જે શ્રોતાઓ નિહાળી શકે એમ સામેની રવેશમાં જ ગોઠવ્યું હતું. શ્રોતાઓના કાન સ્ટેજ તરફ અને ચહેરા બૂફે માટેનાં ટેબલ તરફ હતા. સૌની આંખોમાં શંકા હતી. વહેલો તે પહેલાના ધોરણે જ ભોજન મળશે એ નિશ્ચિત હતું. આભારવિધિ ચાલુ થઈ ત્યાં જ રમખાણ થયું હોય એમ બધા ડિશો ગોઠવેલ ટેબલ તરફ દોડ્યા. એક સ્વતંત્ર સેનાની અંગ્રેજોને આપતા હતા એવી ગાળો આયોજકોને આપવા લાગ્યા. આયોજકો આ બનવાનું જ છે એની માનસિક ભૂમિકા બાંધીને ઊભા હોય એમ મૂછમાં હસતા હતા. ફરીથી અહીં સુધી લાંબા ન થવું એ વિચારથી વાનગી ગોઠવેલ ટેબલ પર જ ડિશ ગોઠવી જમનારા વર્ગ કાનમાં પૂમડાં ખોસ્યાં હોય એમ અન્યના ક્રોધને કાનના પડદામાં જ સમાવી જમતો હતો. કઈ વાનગી ખૂટી ગઈ છે એ કળવું પણ મુશ્કેલ બન્યું.
આવા તંગ વાતાવરણમાં ‘મહીં પડે એ મહાસુખ માણે’ કરીને ટોળામાં ખાબક્યો. ગોધાની જેમ ગોથું મારીને હું ટેબલ સુધી પહોંચ્યો તો ખરો પણ હાય નસીબ ! ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે.’ એમ શાકનો રસો અને ભાત જ મારા સુધી પહોચ્યાં. પરસેવો લૂછતો ને મેદની ભેદતો હું બહાર આવ્યો તો એક કાર્યકરે અભિનંદન આપતાં હાથ લંબાવ્યો. અભિનંદન મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રાપ્ત કરવા બદલ હતાં. કૉન્ગ્રેચ્યુલેશન આપી એ જ હસતે ચહેરે એક પત્રકારને એમણે કોન્સોલેશન કહ્યું, પત્રકારની ડિશ ખાલી હતી, જ્યારે શર્ટ દાળ અને શાકથી ખરડાઈ ગયું હતું. દાળવૃષ્ટિ કે શાક વર્ષા કોણ કરી ગયું એ કળવું મુશ્કેલ હોવાથી એ મભમ જ ગાળો દેતા હતા. એમની અવદશા જોઈ માત્ર ભૂખ્યા રહેનારાઓને આશ્વાસન મળતું હતું.
આપણે તો તારણ કાઢ્યું છે કે બૂફેનો મારગ શૂરાનો છે. કટાણો ચહેરો કરી એક બાજુ ઊભા રહેનારા કાયરોનું એ કામ નથી. જે લોકો મરજીવા બની ડૂબકી મારી શકે એ જ ભોજન મેળવી મોતી મેળવ્યા જેટલો આનંદ માણી શકે છે. ‘આપણા લોકો આળસુ છે…. પરિશ્રમથી ભાગે છે…. આજની પ્રજામાં સાહસવૃત્તિ મરી પરવારી છે…. મર્દાનગી શોધી યે જડતી નથી….’ આવા આક્ષેપ કરનારાઓને અમારું ખુલ્લું આહવાન છે કે કોઈ પણ ‘બૂફે’માં જાઓ, આંખ ખોલીને જુઓ…. તમારા મગજમાં ભરેલા આ તમામ અભિપ્રાયો – બૂફેના ટેબલ પર મૂકેલી વાનગીઓની જેમ ક્યાંય ઊડી જશે !

બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ.


[ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2011માંથી સાભાર.]
બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી કે, મને જ્યાં સુધી પ્રમોશન નહીં મળે ત્યાં સુધી હું રામફળ નહીં ખાઉં. (રામફળ મ્યુઝિયમમાંય જોવા નથી મળતું !) તો કોઈ વળી એવી બાધા રાખે કે મારો દીકરો દસમામાં પાસ નહીં થાય ત્યાં સુધી ખિસકોલી તરફ એકીટસે જોયા કરીશ ! કેટલાક એવી બાધા રાખે કે મને મસા નહીં મટે ત્યાં સુધી મોળું ખાઈશ અથવા તો મોઢાનાં ચાંદાં નહીં મટે ત્યાં સુધી મરચું જીભેય નહીં અડાડું ! અલ્યા, તું એટલું કરીશ એમાં જ તારા મસા અથવા ચાંદાં મટી જશે. મૂળચંદ બાધાય દવા જેવી લે ! અને પછી કહે કે ભગવાને મટાડ્યું !
ભગવાન તાકો મંજૂર કરે ત્યારે મૂળચંદ કમિશન તરીકે કટપીસ ચડાવે. એય આરતી સમયે એકઠા થયેલા ઈકોતેર ભગતોની હાજરીમાં ! હરિભક્તોને ભગવાનના ટેસ્ટ અંગે શંકા થાય કે ઈશ્વર હવે આવા બુડથલોની ફાઈલમાંય સહી કરતા થઈ ગયા ! એકચ્યુઅલી પાકેલી કેરી (મૂળચંદનું કર્મ) ઝાડ પરથી પડવાની તૈયારીમાં જ હોય ત્યારે જ મૂળચંદે બાધા લીધી હોય અને બાધા ફળે એટલે એને પોતાની ઈશ્વર સાથેની ઓળખાણ (કૃપા)માં ઠેરવે. બાકી આપણે એકાદ વસ્તુનો ત્યાગ કરીએ એમાં ઈશ્વર શું કામ ડીપ્રેસ થાય ? આપણી ઘીની બાધાથી ઘરવાળા ખુશ થઈને એ જ દિવસથી કોરી રોટલી જુદી કાઢવાની ચાલુ કરી દે છે. આપણા ભાગનું ઘી એ લોકો ખાઈને તાજામાજા થાય છે અને ઈશ્વર શું તને સૂકી રોટલી ખાતો જોઈને દુઃખી થઈને આપઘાત કરવા દોડશે ? જોકે એક વાર એવું બનેલું કે એક બહેને બાળકને તગડું કરવા ઘીની બાધા લીધી. એમાં તો ખુદ એ બહેનનું શરીર કથળ્યું. બાધામાં બેય બગડ્યાં !
આમ પ્રાચીનકાળમાં બાધા લેનારે જ પીડા ભોગવવી પડતી. સ્વપીડન ક્યાં સુધી ? એવો ઉશ્કેરાટ થતાં કેમ્બ્રિજ યુનિ.ના સ્નાતક શ્રીમતી કરુણાગૌરીએ બાધાને અદ્યતન સ્વરૂપ આપ્યું. એમણે એવી બાધા રાખી કે એમની દીકરી દકુ બાર સાયન્સમાં પાસ થશે તો દકુ પોતે માત્ર શ્વાસ પર સાત શુક્રવાર કરશે. એ તો દકુએ રંગ રાખ્યો કે એ ફેઈલ થઈ. જો પાસ થઈ હોત તો ‘બાધા’માં તો ચોક્કસ ફેઈલ થાત. આ તો ઠીક છે કે બાધામાં શ્વાસ તો લેવાનો હતો, બાકી ‘નિર્જળા’ની જેમ કોઈ મૂળચંદ અમરભાઈ માટે આમ બારોબાર ‘નિશ્વાસ’ની બાધા રાખી દે તો અમરભાઈનેય મરવાનો દા’ડો આવી જાય ને ? મારી બચપન, કિશોર અને યુવાવસ્થાની કુળ મળીને, એકતાલીસની ઉંમરમાં મને બે જ વસ્તુ આકર્ષી શકે છે. એક, રામાયણનું ‘કોપભવન’ અને બીજી કરુણાબહેનની ‘બારોબાર ધા’ નાખવાની બાધા ! આવી બાધા લેવાનું સુગમ પણ પડે છે. બાધાની આ અર્વાચીન આવૃત્તિના આવિષ્કાર પછી તો હું અખંડ રામધૂનની જેમ બાધા ઉપર બાધા રાખ્યા કરું છું…..રાખ્યા જ કરું છું…. જેમ કે લંકેશભાઈના છૂટાછેડાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ કંકોતરીવાળાં લગ્નોમાં જઈ ચાંલ્લો કરશે, પણ જમશે નહીં ! પડોશીના પપલુને પાંચમા ધોરણમાં પચાસ ટકાથી વધુ માર્ક્સ આવશે તો પપલુ એના પરિવાર સાથે પગપાળા પાવાગઢ જશે ! શૅરબજારિયો શિરીષ સોમવારની શૅર કૉલમ નહીં વાંચે ! આમ આ બધી બાધામાં આપણને પીડા નહીં. બાકી પહેલા તો આપણે જ ભોગવવું પડતું, એટલે હું તો બહુ સાનુકૂળ બાધાઓ જ રાખતી, જેમ કે સળંગ સત્તર દિવસ સુધી સ્નાન કર્યા બાદ મારા જ ટુવાલથી ડિલ લૂછીશ. મારા માટે આ બાધામાં કોઈ ટ્રબલ નહોતી. બાકી કેટલાકને બીજાનો ટુવાલ વધુ સ્વચ્છ અને સુગંધીદાર લાગતો હોય છે ! અને એવું હોય છે પણ ખરું. એમને મારાવાળી બાધા આકરી પડે !
બાધામાંય લોકો જાતજાતના નુસખા કરતા હોય છે. ડુંગળીની બાધા રાખે પણ એમાં પીત્ઝા, પાંઉભાજી કે ભેળમાં ડુંગળી ખવાય ! માત્ર ડુંગળીનો ગાંગડો ભચડ ભચડ નહીં ચાવવાનો ! એક કાકાએ ભત્રીજાની સગાઈ થાય એ માટે દૂધની બાધા રાખી, પણ ભત્રીજો તો એકતાલીસ વરસ સુધી અણનમ રહ્યો ! એટલે કંટાળીને કાકાએ ભત્રીજાને ‘શઠ’ જાહેર કર્યો અને બાધા ફોડી નાખી ! (ફોક કરી નાખી) આવું ચાલતું હશે ? બાધામાં તો શ્રદ્ધા અને સબૂરી (ધીરજ) જોઈએ. બાધાનું તો આત્માના અવતાર જેવું ! ખોળિયામાંથી નીકળી ચૂકેલો આત્મા બીજા ખોળિયામાં તુરત જ અવતાર લે, બે દિવસે કે બાવીસ દિવસેય લે અને નાય લે… તો મોક્ષ સમજવો. એમ કોઈ બાધા ‘પ્રાણ જાય પણ પૂરી ન થાય’ એવુંય બને. કેટલાંક તો બાધા માટે ભગવાન બદલે ! શિરડીના શ્રી સાંઈબાબાના પાંચ ગુરુવારથી પરિણામ ન મળે તો સંતોષીમાતાના સાત શુક્રવારની માનતા રાખે. એમાં મેળ ન પડે તો શાંતિનાથ મહાદેવના સોળ સોમવાર જાહેર કરી દે અને પાછા ભગવાન નાનું ભૂલકું હોય એમ ફોસલાવે. શૅરમાં ધીકતો નફો થશે તો બે ટકા તારા ! અલા, જેણે સૃષ્ટિ રચી છે એ તારા બે ટકાની શું આંસુના તોરણે રાહ જોઈ રહ્યો હશે ?
બાધા રાખનારા લોકો બાળક જેવા બુદ્ધુ અને જિદ્દી હોય છે. ચૉકલેટ નહીં આપે તો સ્કૂલે નહીં જાઉં. અલા, ભણીશ નહીં તો તારે જ ભીખ માગવાનો વારો આવશે. યાદ રાખો કે માત્ર નિર્જળા કે નિઃશ્વાસ ઉપવાસની બાધાથી જ ઈશ્વર ગભરાય છે કે આ માંગણ ઊકલીને ઉપર આવી જશે તો વધારે ઉપાધિ કરશે એટલે જ એની ઈચ્છા જલદી પૂરી કરે છે. બાકી તું ઉનાળામાં ચંપલ ન પહેરે અને ઉપરથી પ્યોર પોલીએસ્ટર પહેરવાની બાધા રાખે તોય ઈશ્વરને કેટલા ટકા ? તારો ટિનિયો ત્રણ વાર ચૉક્લેટ માગે ત્યાં સુધી તું માંડ સહન કરે. ચોથી વાર ચૉકલેટ માંગે તો થપ્પડ ઝીંકી દે છે અને ભગવાનની પાસે આખી જિંદગી માંગ માંગ જ કરવાનું ? એક આધુનિક સતીએ એનો વર સુધર્યો નહીં તો તેણે વટસાવિત્રી વ્રત કરવાનું અધવચ્ચેથી જ અટકાવી દીધું ! અલી, ઈશ્વર કાંઈ અખબાર છે કે ડોલ, ટબ, સાબુ, શેમ્પુ, ઈન્સ્ટન્ટ મિક્સ ન આપે તો અખબાર બંધ કરી દેવાનું !
એક ઈન્ટેલિજન્ટ સ્ત્રી આખા ઈન્ડિયાનો પ્રવાસ થઈ જાય માટે અંબાજી, વીરપુર, બદ્રી-કેદારનાથ, તિરુપતિ, વૈષ્ણોદેવી જેવી જગ્યાઓએ જવાની બાધા રાખે. બાધાનું નામ પડે એટલે બાઘડો (પતિ) બીવે. આમ બાધાને નામે બત્રીસ ગામની જાત્રા કરી આવે. હવે, બોલો….. બોલો….. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ ? કેટલાંક વળી ધાબા જેવડી બાધા રાખતા હોય છે – વિશ્વપ્રવાસનો જોગ નહીં થાય ત્યાં સુધી ઉંબરાની બહાર પગ નહીં મૂકું ! મૂળચંદ, વિશ્વશાંતિ માટે તારે આવી જ બાધા લેવાની જરૂર હતી ! ત્રણ દીકરાવાળાની દુર્દશા, અવદશા, માઠી દશા જોયા પછીયે કેટલાક અકોણા લોકો દીકરા માટે બાધા રાખે અને પછી બાધાનો દીધેલો દીકરો આવે એટલે એનું નામ ‘ભીખલો’ પાડે. અને એ ‘ભીખલો’ ટપોરી મોટો થઈને મા-બાપને હાલરડું સંભળાવે : ‘તમે લોહીના પીધેલ છો, તમે સાવ માથા ફરેલ છો, આવ્યા છો તો ખૂણામાં પડ્યા રહો !….’ એટલેસ્તો કહેવાયું છે, ‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની !’
એક ભાઈએ એના બોસને સ્મૃતિભ્રંશ થાય એ માટે ગોટલાની બાધા રાખેલી. અને આખો ઉનાળો બિચારાએ કેરીના ગોટલા પોતે ન ખાઈને ગાયને જ ખવડાવી દીધા. સાસુની જીભને લકવો થાય તો આજીવન કડવો લીમડો જીભે નહીં અડાડું એવી બાધા, રાધા વહુએ રાખેલી. કોઈનું ખરાબ કરવાની બાધા રાખો તો ઈશ્વર રૂઠે અને બાધા અવળી પડે. બોસની સ્મૃતિ અને સાસુની જીભ પાવરફુલ બનાવી દે ! બાધા રાખવી હોય તો એવી રખાય કે જ્યાં સુધી વળતર કરતાં સવાયું કામ નહીં આપી શકું ત્યાં સુધી પગાર લઈશ નહીં ! કોઈકની નિંદા થઈ જશે તો તે એ દિવસે ઉપવાસ કરીશ. ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી સાચા સાધુ જેવું સાદું જીવન જીવીશ કે ગુજરાતની ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી ગરબા હરીફાઈમાં ભાગ નહીં લઉં !
મને તો બાધાનું વ્યસન થઈ ગયું છે. એક પૂરી ને બીજી શરૂ થાય. બીડી છૂટે પણ બાધા ન છૂટે ! મેં તો મારી બાધા રાખવાની હોય કે બીજા માટે, ગમે તે કામ માટે હોય પણ બાધા ખોરા ટોપરાની જ રાખવાની. છેલ્લાં સત્તાવીસ વર્ષથી હું ખોરું ટોપરું ખાઈ શકી નથી ! બાધા કોને કહે ! જોકે બાધા રાખવાનો ફાયદો એ છે કે બાધા રાખ્યા પછી એ પૂરી થવાની રાહમાં સમય સરસ રીતે પસાર થાય. ‘જો મજા ઈંતેજાર મેં હો વો પાને મેં કહાં ?’
‘જીવતરનો આ રસ્તો ભગવાન
નહીં તો ખૂટશે કેમ ?
અમે રાખીશું બાધા,
તમે કરજો કરવું હોય એમ !’

Wednesday, September 21, 2011

mobile no for PNR STATUS

ATM >>>>> do read....very important !!!!!


VERY IMPORTANT AND INTERESTING 
 
 
Read carefully
 
WHEN A THIEF FORCES YOU TO TAKE MONEY FROM THE ATM, DO NOT ARGUE OR RESIST,
YOU MIGHT NOT KNOW WHAT HE OR SHE MIGHT DO TO YOU.   WHAT YOU SHOULD DO IS TO
PUNCH YOUR PIN IN THE REVERSE, I..E IF YOUR PIN IS 1254, YOU PUNCH 4521.   
  
  
THE MOMENT YOU PUNCH IN THE REVERSE, THE MONEY WILL COME OUT BUT WILL BE
STUCK INTO THE MACHINE HALF WAY OUT AND IT WILL ALERT THE POLICE WITHOUT THE NOTICE OF THE THIEF. 
EVERY ATM HAS IT; IT IS SPECIALLY MADE TO SIGNIFY DANGER AND HELP. NOT EVERYONE IS AWARE OF THIS. 
  
FORWARD THIS TO ALL YOUR FRIENDS AND THOSE YOU CARE

Tuesday, September 20, 2011

હઈસો ….હઈસો.....

હઈસો ….હઈસો.....
by Vinubhai Patel Vjp on Tuesday, September 20, 2011 at 9:00pm
.... ….સદી ઓ થી આપણે માનવો બે પ્રકારની માનસિકતા( બે વર્ગોમાં વર્ગીકૃત))માં વહેચાયેલા છીએ ….(૧)હું શ્રેષ્ઠ છું ,હું પ્રભાવી છું …બધાનાં ઉપર હું મારો મત થોપી શકું છું ….બાકી બધા મારા મત માં હા જ ભણે …આપણી તો વાત જ ન થાય બોસ્સ ..આવા લોકો પોતાના કરિશ્મા થી અન્યને આંજી નાખવા માટે તલપાપડ હોય છે .. …આ છે ગુરૂતાગ્રંથી ….આવા પ્રકારના લોકોને દૈવ પણ કેટલીક વાર સહાય કરતુ હોય છે .. ..તેઓ સત્તા ,સંપત્તિ યા સ્ટેટસ નાં માલિક પણ હોય છે ….(૨) બીજો વર્ગ છે …..પોતાની જાતને ઓછા નીવડેલ ,ઓછા કાર્યક્ષમ માની બેઠેલા ને એથીય આગળ કદીક પોતે ની:સહાય ,લાચાર ,ઓછી બુદ્ધિ ને ઉતરતું કૌશલ્ય ધરાવે છે એવા “લઘુતા ગ્રથીત ” લોકો …..આવા લોકો સાફલ્ય મેળવવા ,’ઊંચા’ આવવા માટે તત્પર હોય છે કેમકે એમને પોતાના નીચા સ્ટેટસ ની શરમ પણ લાગતી હોય છે ….એ ટલા માટે તેઓ કોઈ પણ શોર્ટ કટ અપનાવવા તૈયાર હોય છે …પોતાનું ભલું થાય એ માટે કોઈનું પણ માર્ગદર્શન મેળવવા આતુર હોય છે …..હવે આવી સ્થિતિ માં મહદઅંશે બને છે એવું કે વર્ગ ૧.પોતે કોઈ પણ પ્રશ્નોનું ઝડપી સમાધાન આપી શકે તેમ છે એવું બતાવી ને પોતાનો પ્રભાવ અન્ય (વર્ગ.૨ )પર પાડવા અને એમ કરી ને તેમને પોતે સહાય કરી છે એમ ઠસાવીને , તેમની લઘુ ગ્રંથી ને એક્સપ્લોઈટ કરીને આવા લોકોને આંજી દેવાનો અને તેમના અનુયાયી બનાવીને પોતાનો મોભો ‘ગુરૂતા’ ઓર ઉંચો રાખવાની તક ઝડપી લે છે …..
સતત મળતી રહેલી અસફલતા ને કારણે હતાશ ને નમાલો બનેલો ,પરિશ્રમ માંથી વિશ્વાસ ગુમાવી બેઠેલો વર્ગ ૨ નો ‘લઘુ’ પેલા વર્ગ ૧ નાં ગુરૂ નાં બાહ્ય આભાસી તેજ (વાણી ,વર્તન,ચમત્કારો ,માહિતી પ્રસારણ )થી આકર્ષાય છે …પોતાના જેવા અન્ય ને પણ આકર્ષે છે …આવી ઘેટા ની માનસિકતા થી પેલો ‘ગુરૂ’ સુપેરે વાકેફ જ હોય છે …એનો દંભ ઓર ખીલે છે ,ફૂલે છે ….ને પછી તો હઈસો ….હઈસોની “ધોબી પછાડ ” વિકસે છે વકરે છે … …આશ્રમો ,મઠો ,ગાદી ઓ , ચેલા-ચેલી ઓ નો આખે આખો ઉદ્યોગ વિકસ્યે જ જાય છે ….. એના માર્કેટિંગ ની વિવિધ યોજના ઓ બને છે …
………હકીકતે આ આખાય ચકડોળ માં ‘આધ્યાત્મ’ ક્યાય હોતું નથી …….હા નિષ્ણાત મેનેજરો ,દિગ્દર્શકો ,સંગીતકારો ,ફોટો ગ્રાફરો ,સ્ક્રીપ્ટ લેખકો ,એદીતારો નાં પુરૂષાર્થ થી આધ્યાત્મ ની એક ટોચની ફિલ્મ અવશ્ય બનાવવા માં આવે છે ….!!….બાકી ભગવવાને તો ક્યારેય આમ જ કરો ,આ જ રસ્તો છે ,આ જ ઉન્નતિની સીડી છે એમ ક્યાય કહ્યું જ નથી …..અરે યોગેશ્વરે તો ગીતામાં પણ સવિસ્તાર કર્તવ્ય સમજાવીને આખરે અર્જુનને પોતાનો વિવેક ,પોતાની બુદ્ધિ થી જ નિર્ણય લેવા કહેલું …..”યથેચ્છાસી તથા કુરૂ ….” …તને જેમ ઠીક લાગે તેમ કર ………પણ અહિયાં આપણી આસપાસ એવું બન્યું છે કે હતાશ ,અસફળ ,પુરૂષાર્થ માંથી વિશ્વાસ ગુમાવી ચુકેલો ,આળસુ થયેલો એક વર્ગ જ્યારે સારાસારની વિવેક શક્તિ પણ ગુમાવી બેસે છે ત્યારે એની લાચારીનો ફાયદો તકવાદી એવો “ગુરૂ” તરીકે સ્થાપિત થવા તત્પર એવો બીજો એક વર્ગ ઉઠાવે છે ……

રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય

રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય
મનાવે વાંસલડીનાં સુરે કાન આધા આધા થાય
કેમ રે મારી શું ભૂલ થઇ ભોળીયો કાન વિચારે
બાલગોપાલ વિનવે તો યે એકના બે ન થાય

શામળીયાના અંતરે શુલ ઉપડે,સુજે ના ઉપાય
નંદલાલ બાલ થઇ નાચે,રાધાને કંઇ ન થાય
કેમ રે મનાવું મારી હ્રદયની રાણી કેમ રિસાઇ?
રાધાના ચરણૉમાં બેસી મદનમોહન શોધે ઉપાય

કાલાવાલા કરે રાધાની સામે નાદાન નંદલાલ
ચતુરનાર નાર સમી રાધા મનોમન કેવી મલકાય
વિનવે દ્વારકાનો નાથ નમણી રાધાને મનાવવા આજ
ચૌરે ને ચૌટે ચર્ચા ચાલે રાધાને મનાવવા શોધો ઉપાય

(નરેશ કે.ડૉડીયા